Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ અને રાત્રિ રોકાણ, વડોદરામાં સરદારધામ ભવનનું કરશે લોકાર્પણ

Jamnagar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મે દરમિયાન ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે. આ પ્રવાસમાં ધાર્મિક આસ્થાની સાથે સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

 

જામનગરમાં આગમન અને સોમનાથ મહાદેવની વિશેષ પૂજા

વડાપ્રધાન 10 મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. ત્યારબાદ 11 મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચી "સોમનાથ સ્વાભિમાન પર્વ" અંતર્ગત વિશેષ પૂજા-અર્ચના કરશે. સવારે અંદાજે 10:30 થી 11:00 વાગ્યા દરમિયાન મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજી મંદિરના વિકાસ અને યાત્રાધામની સુવિધાઓ અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે.
 

ધોલેરા SIRની મુલાકાત અને પ્રોજેક્ટની સમીક્ષા

સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે, પરંતુ તે પહેલાં તેઓ રસ્તામાં ધોલેરા SIRની મુલાકાત લઈ શકે છે. ધોલેરા પ્રોજેક્ટ એ દેશના સૌથી મહત્વપૂર્ણ સ્માર્ટ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટો પૈકીનો એક હોવાથી, PM મોદી ત્યાં ચાલી રહેલી પ્રગતિની જાતમાહિતી મેળવી સમીક્ષા કરે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.
 

વડોદરામાં સરદારધામ ભવનનું લોકાર્પણ અને દિલ્હી વાપસી

વડાપ્રધાનના પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ વડોદરા ખાતે સરદારધામના નવા ભવનનું લોકાર્પણ કરશે. આ મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહે તેવી શક્યતા છે. આ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તે જ દિવસે મોડી સાંજે વડોદરાથી સીધા દિલ્હી પરત ફરશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાવધાન ! હવે તસ્કરો ફોર્ચ્યુનર લઈને આવે છે; હાઈ-પ્રોફાઈલ ઘરોમાં આધુનિક સાધનોથી હાથફેરો કરતી ટોળકીનો ખુલાસો.