Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં લોકમેળા બાદ 19 ઓગસ્ટ સુધી પર્યટન સ્થળો પર પણ પ્રતિબંધ મૂકાયો

Webdunia
શનિવાર, 25 જુલાઈ 2020 (14:43 IST)
શ્રાવણ માસમાં લોકમેળા અને પર્યટન સ્થળો પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજકોટમાં લોકમેળા બાદ પર્યટન સ્થળો પર પણ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગર અને તેની આસપાસના પર્યટન સ્થળો પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામું 19 ઓગસ્ટ સુધી અમલી રહેશે. રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલ ઓસમ પર્વત એક પ્રવાસન સ્થળ છે અને આ પર્વત પર ટપકેશ્વર મહાદેવ મંદિર, માત્રી માતાજી મંદિર, તેમજ ભીમનાથ મહાદેવ મંદિર સહિત અનેક નાના મોટા રમણીય તળાવો આવેલ છે.

જેથી ભક્તો મંદિરોમાં દર્શન કરવા જાય તેવી પુરી શક્યતા છે. તેમજ હાલમાં સમગ્ર રાજ્યમાં મંદિરમાં દર્શન કરવા જવાની છુટ હોય, જેના કારણે પ્રવાસીઓ તેનો ફાયદો ઉઠાવી દર્શનના બહાને પર્વત પર બિનજરૂરી ફરવા નિકળે છે. જેને ધ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે આ વખતે શ્રાવણ માસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે નહીં.

દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસ મેળો યોજાતો હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળો 20 દિવસ સુધી ચાલુ હોય છે. જેમાં લોકમેળામાં 10 લાખ કરતા પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે આ વખતે લોકમેળો યોજાશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments