Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય, પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ

Webdunia
બુધવાર, 17 નવેમ્બર 2021 (18:07 IST)
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે પણ હવે પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ કરી છે. ઊંઝા ઉમિયા સંસ્થાને રાજ્ય સરકારને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જસદણમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા ફરી માગ કરી હતી. રાજ્યમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવા સૂર ઉઠ્યો છે.
 
 તાજેતરમાં જ રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, આજે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર આવ્યો છે. પાટીદારો પર કરવામાં આવેલા કેસો સરકાર દ્વારા હજી સુધી પરત ખેંચવામાં આવ્યા નથી. તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું. પાટીદાર સમાજના યુવાનો ક્લાર્કથી કલેક્ટર અને રાજકારણમાં સરપંચથી સાંસદના પણ પાટીદારો જ હોવા જોઈએ તેવું પણ નરેશ પટેલએ નિવેદન આપ્યું છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments