Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ ટ્વીટ, સરદાર PM હોત તો RSS ન હોત

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:23 IST)
પરેશ ધાનાણીએ ટ્વીટર પર વિવાદાસ્પદ નિવેદન લખતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો, આરએસએસ ના હોત, આરએસએસ ના હોત તો બીજેપી પણ ના હોત અને બીજેપી ના હોય તો નરેન્દ્ર મોદી પીએમ પણ ના હોત. સરદાર પીએમ ન બન્યા તે મુદ્દે દેશને અફસોસ છે. પરેશ ધાનાણીએ શું આડકતરી રીતે જવાહરલાલ નહેરૂ પર નિશાન સાધ્યું છે? પરેશ ધાનાણીના આ ટ્વીટ બાદ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
બીજીબાજુ,  વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત અગિયાર કોંગી આગેવાનો આજે અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમરેલી શહેરમાં મોંઘવારીનું પુતળું જાહેરમાં બાળવા મુદ્દે નોંધાયેલ કેસમાં હવે કોર્ટ દ્વારા કોંગી નેતાઓને આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ ફરી કોર્ટમાં હાજર રહેવા મુદત આપવામાં આવી છે.એકાદ વર્ષ પહેલા અમરેલીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ યોજાયેલ એક કાર્યક્રમમાં મોંઘવારીનું પુતળું બળવામાં આવ્યું હતું જે અનુસંધાને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, બાબરાના ધારસભ્ય વીરજી ઠુમ્મર તેમજ અમરેલી પાલિકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા સહીત ૧૧ કોંગી આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના અનુસંધાને આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ કોંગી આગેવાનો કોર્ટમાં હાજર રહ્યા હતા. ઈટીવી સાથે વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરીથી કરવામાં આવેલ ખોટા કેસમાં તેઓ નિર્દોષ સાબિત થશે. ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું તેમણે જણાવ્યું હતું. પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારની સુચનાથી પોલીસ દ્વારા આ પ્રકારના ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા છે. અમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા કિન્નાખોરી થી કરવામાં આવેલ આવા ખોટા કેસો સામે ન્યાયપાલિકા રક્ષણ આપશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ અગિયાર કોંગી નેતાઓ આજે રેગ્યુલર તારીખમાં અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા, પરતું કોર્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીની ફરી મુદત આપવામાં આવતા કેસ વધુ લંબાયો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments