Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પદ્માવત માટે થિયેટરો પોલીસ છાવણીમાં ફેરવાયા

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (11:58 IST)
પદ્માવત ફિલ્મને નિહાળવા આતુર લોકો હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આ વિવાદાસ્પદ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ગુજરાતમાં પણ આ ફિલ્મ સામે જોરદાર વિરોધ ચાલુ છે, ત્યારે અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે આ ફિલ્મ રિલીઝ થશે. શહેરમાં જે થિયેટરોમાં આ ફિલ્મ બતાવાશે તે થિયેટરોમાં અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.

અમદાવાદમાં સાત જેટલા મલ્ટિપ્લેક્સમાં પદ્માવત બતાવાશે. ત્રણ અન્ય થિયેટરોએ પણ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવાની તૈયારી બતાવી છે, અને તેમને પણ પોલીસ પ્રોટેક્શન આપવમાં આવ્યું છે. કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનો ફિલ્મ રિલીઝ થઈ તો હિંસા પર ઉતરી આવવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે આ 25મીએ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી પોલીસ માટે પણ ચેલેન્જિંગ બની રહેશે. જોકે, પોલીસ તેના માટે અત્યારથી જ સજ્જ બની ગઈ છે.રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, પોલીસના ધ્યાને આવ્યું છે કે, કેટલાક તોફાની તત્વો કરણી સેનાના નામે તોડફોડ કરી રહ્યા છે. અમદાવાદના જે થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થવાની છે તેને અમે પ્રોટેક્શન આપવાનું આશ્વાસન આપ્યું છે, અને પોલીસનો કાફલો કોઈ પણ અનિચ્છનિય સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ થિયેટરો પર ખડકી દેવાયો છે.પ્રમોદ કુમારે એમ પણ કહ્યું હતું કે, રાજ્યના અન્ય ભાગોમાં પણ ફિલ્મ રજૂ થવાની શક્યતા હતી. ફિલ્મના વિરોધમાં થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેમાં તોફાની તત્વો સામે કલ્પેબલ હોમિસાઈડ હેઠળ ગુનો નોંધવામાં આવશે, જેમાં ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments