Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાય રે ભાવવધારો- ડુંગળીની કિંમત ટૂંક સમયમાં રૂપિયા 50થી વધે તેવી અટકળો

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:34 IST)
ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. અમદાવાદમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૃપિયા ૪૦ પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં તેમાં હજુ પણ વધારો થઇ શકે છે. મહારાષ્ટ્ર ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલોગ્રામે રૃપિયા ૧૮ હતો અને તે હવે રૃપિયા ૩૦ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદને પગલે દક્ષિણના રાજ્યોમાં પાક પર પ્રતિકૂળ અસર થવાથી સરકારે ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધની જાહેરાત કરી હતી. ભારત વિશ્વભરમાં ડુંગળીનું મોટું નિકાસકાર છે. હાલમાં ડુંગળીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ૧૫ દિવસ અગાઉ ડુંગળીનો હોલસેલ ભાવ રૃપિયા ૧૮ હતો, જે વધીને ૩૦ રૃપિયે પહોંચ્યો છે. ડુંગળીના છુટક ભાવ અમદાવાદમાં હાલ ૪૦ રૃપિયા પ્રતિ કિલોગ્રામ છે. હવે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ રૃપિયા ૫૦થી વધી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, વિસ્તાર અને ડુંગળીની ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. ડુંગળીના ભાવ વધારા માટે વેપારીઓ અતિવૃષ્ટિને જવાબદાર ગણે છે. તેઓના મતે વધુ પડતા વરસાદથી અન્ય શાકભાજીની સાથે ડુંગળીના પાકને પણ નુકસાન થયું છે. પાક ખરાબ થતાં આવક ઘટી છે અને તેથી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર-રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ડુંગળી આવે છે. જેમાં સૌરાષ્ટ્રથી આવતી ડુંગળીનો ભાવ ૧ સપ્ટેમ્બરના ૧૪ રૃપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને તે હવે રૃપિયા ૨૨ થઇ ગયો છે. ડુંગળી ઉપરાંત બટાકા-ટામેટાંની કિંમતમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ટામેટાંની કિંમત રૃપિયા ૮૦ પ્રતિ કિલોગ્રામ જ્યારે બટાકાની કિંમત રૃપિયા ૪૦ પ્રતિ કિલોગ્રામ છે. બટાકાની કિંમતમાં છેલ્લા ૧ સપ્તાહ દરમિયાન વધારો જોવા મળ્યો છે. અન્ય શાકભાજીમાંથી ભીંડાની કિંમત ૬૦ રૃપિયે પ્રતિ કિગ્રા, દુધીની કિંમત ૫૫ રૃપિયે પ્રતિ કિગ્રા, ફ્લાવરની કિંમત ૧૧૦ રૃપિયે પ્રતિ કિગ્રા, કારેલાની કિંમત ૮૦ રૃપિયે પ્રતિ કિગ્રા થઇ ગઇ છે. આમ, શાકભાજીમાં વધતા ભાવથી અનેક ઘરોનું બજેટ ખોરવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments