Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના જૂતાના નિશાન સાથેના ફોટો રસ્તા પર લગાવાયા

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (14:41 IST)
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ લગાડવામાં આવ્યા છે. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.

જીલાણી બ્રિજ ઉપર જ કેમ આ પ્રકારના કાગળ લગાડવામાં આવ્યા છે.તથા કોણે અને ક્યારે લગાવ્યા તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.નૂપુર શર્માને લઈને સમગ્ર દેશભરમાં અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણાનુ આ નિવેદનને વખોડી રહ્યા છે. તો ઘણા લોકો તેની તરફેણમાં તેની પડખે ઊભા છે. એક ચોક્કસ વર્ગની લાગણી દુઃભાઈ હોવાને લઈને આ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માના પેમ્ફલેટ લગાડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પેમ્ફલેટ ઉપર નૂપુર શર્માને અરેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જીલાણી બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોની નજર તેના પર પડતાં આ કોણે લગાડ્યા છે. તેને લઈને ચર્ચા જોરશોરથી થઇ રહી છે.નૂપુર શર્માએ આપેલા નિવેદન બાદ તેને ભારતીય જનતા પાર્ટીએ સભ્ય પદેથી દૂર કરી છે. નૂપુર શર્માએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે આપેલા નિવેદનથી કોઈની લાગણી દુઃભાઇ હોય તો માફી માંગી છે. છતાં પણ આ વિવાદ હજી શમ્યો નથી. સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માના પેમ્ફલેટ રસ્તા ઉપર લગાવવામાં આવતા સ્થાનિક પોલીસ સહિત આઈબીની ટીમએ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments