Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી એસેસમેન્ટ અંતર્ગત સામાન્ય માણસે ટેક્સ ભર્યો પણ રાજકોટના ઉદ્યોગપતિઓ મુંગા રહ્યાં

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:34 IST)
નોટબંધી લાગુ થતાની સાથે જ વેપારી, ઉદ્યોગપતિ અને બિલ્ડરોની ઊંઘ હરામ થઈ હતી, તો હાલમાં ઈન્કમટેક્સ અધિકારીઓને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. નોટબંધીના કેસોનું વહેલી તકે નિરાકરણ આવે તેવું કરદાતા અને અધિકારીઓ બધા ઈચ્છી રહ્યા છે. હાલ નોટબંધીના એસેસમેન્ટ ચાલી રહ્યા છે. જેમાં અધિકારી અને કરદાતાના બે ચહેરા સામે આવ્યા છે. કેટલાક કેસોમાં એવું બન્યું છે કે, વેપારી અને ઉદ્યોગપતિઓએ જવાબ આપવાનું ટાળ્યું છે તો કેટલાક કેસોમાં નાના કરદાતાએ સામાન્ય રકમ રૂ.76,500 નો ભરવાપાત્ર ટેક્સ ભરી દીધો છે. કેટલાક કરદાતાઓ જેને ખુલાસો પૂછવામાં આવ્યો હોવા છતાં તેઓ કોઈ જવાબ નહીં આપતા અધિકારીઓએ તેઓને 3 વાર કહ્યું કે, હાજીર હો પણ કોઈ જવાબ નહીં મળતા આખરે આવા કેસોમાં એક તરફી એસેસમેન્ટ થયું છે, જ્યારે કેટલાક અધિકારીઓ એવા પણ છે કે કરદાતાઓ ક્યા રહે છે તેનું એડ્રેસ શોધીને તેના ઘરે રૂબરૂ ગયા અને તેઓને માહિતગાર કર્યા અને અધિકારીઓએ રૂબરૂ સમજાવતા જેને નોટિસ મળી હતી. તેઓને પણ રાહત થઇ હતી. જે કેસમાં એકતરફી એસેસમેન્ટ થયું છે તેવા કેસોમાં હજુ અનેક વર્ષો નીકળી જશે. આ બધા કેસો અપીલમાં જશે અને તે કેસ લાંબા ચાલશે. જ્યાં સુધી કેસોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કેસોનો ભરાવો થશે. કરદાતા અને અધિકારીઓ બન્નેને તકલીફ પડશે.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments