Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 જાન્યુઆરી 2021થી હોલમાર્ક વગરના દાગીના નહીં વેચી શકાય

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:27 IST)
સોનું ખરીદતા ગ્રાહકોને શુદ્ધ સોનું સોનું મળી રહે તે માટે દેશભરમાં 15 જાન્યુઆરી 2021થી દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. આ માટે જાહેરનામું 15 જાન્યુઆરી 2020ના રોજ બહાર પડાશે. પરંતુ વેપારીઓને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવા 1 વર્ષનો સમય અપાશે. હોલમાર્કિંગ પ્રોજેક્ટ માટે મુંબઈની આઈટી ટીમ સાથે જોડાણ કરાયું છે. 15 જાન્યુઆરી 2021 પછી કોઈપણ વેપારી હોલમાર્કિંગ વગરના દાગીના વેચી શકશે નહીં. સોનીઓએ હોલમાર્ક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સેન્ટરમાં મોકલાતા દાગીનામાં કોઈ ભેળસેળ હશે તો સોફ્ટવેરની મદદથી પકડાશે. સેન્ટર દાગીનાને યુનિક નંબર આપશે.આ ઉપરાંત દાગીના પર બીએસઆઈનો માર્ક પણ હશે અને સોનાના વજનની માહિતી દર્શાવેલી હશે.અમદાવાદ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે જે વેપારી પાસે હોલમાર્ક વગરના દાગીના હશે તેના ભાવ મુદત પછી નહીં મળે. જ્યારે જે ગ્રાહકો પાસે હોલમાર્ક વગરના દાગીના છે તેઓએ મુદત પહેલા ખરીદેલા હોય તો તેના પુરાવા આપવાના રહેશે. આ બન્ને કેસમાં વેપારી અને ગ્રાહકોને બજાર ભાવથી 5થી 8 ટકા ઓછા ભાવ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments