Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો : બાળકોની લેવા-મૂકવા DPSની બસ આવતી હોવાનો ખુલાસો

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (15:09 IST)
નિત્યાનંદ આશ્રમની અમુક યુવતીઓને હાથીજણ રોડ પર આવેલી એક જગ્યાએ રાખવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમ જે જગ્યા પર છે તે જગ્યા ડીપીએસ તરફથી ભાડે આપવામાં આવી છે. હવે એવો પણ ખુલાસો થયો છે કે ડીપીએસ સ્કૂલની બસ હાથીજણ રોડ પર એક મકાનમાં રહેતી આશ્રમની યુવતીઓ અને બાળકોને લેવા-મૂકવા આવતી હતી. બીજી તરફ વધુ તપાસ માટે આજે SIT આશ્રમ પહોંચી છે. અમદાવાદમાં હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે હવે SIT આશ્રમ પહોંચી છે. આ પહેલા પોલીસે હાથીજણના પુષ્પક સીટીમાંથી કથિત રીતે ગુમ યુવતી નિત્યાનંદિતાની વસ્તુઓ કબજે કરી હતી. શંકાસ્પદ ગતિવિધિને લઈને સીટની ટીમે આશ્રમમાં રહેતા બાળકો સહિતના લોકોની પૂછપરછ કરશે.આશ્રમ વિવાદમાં એવો ખુલાસો થયો છે કે હાથીજણ રોડ પર આવેલા પુષ્પક સીટીમાં બે ભાડાના મકાનમાં આશ્રમની સાતથી આઠ યુવતીઓ અને બાળકોને રાખવામાં આવ્યા હતા. જેમને લેવા તેમજ મૂકવા માટે ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. આ બાળકો અને યુવતીઓને મોડી રાત્રે આશ્રમમાંથી અહીં લાવવામાં આવતા હતા. જે બાદમાં વહેલી સવારે તેમને ફરીથી આશ્રમમાં લઈ જવામાં આવતા હતા. ભગવા વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ અને બાળકોને બસમાં લઈ જવામાં આવતા હતા. ડીપીએસની બસ બાળકો અને યુવતીઓને લેવા મૂકવા આવતી હોવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. એવી પણ માહિતી મળી છે કે છેલ્લા દોઢ મહિનાથી યુવતીઓ અને બાળકો અહીં ભાડાના મકાનમાં રહેતા હતા.અગાઉ પૂછવામાં આવ્યું હતું ત્યારે ડીપીએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલે આશ્રમને માત્ર જગ્યા જ ભાડે આપી છે. હવે ડીપીએસની સ્કૂલ પણ બાળકોને લેવા-મૂકવા આવતી હોવાનો ખુલાસો થતાં ડીપીએસ પણ શંકાના ઘેરામાં આવી છે. બીજી તરફ આશ્રમની જમીન અંગે કલેક્ટર કે પછી ડીઈઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Terror Attack in Baramulla: ચૂંટણી પહેલા મોટી સફળતા, બારામૂલામાં 3 આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

આગળનો લેખ
Show comments