Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિન-સચિવાલયની રદ થયેલી પરીક્ષા આગામી તા.૧૭ મી નવેમ્બરના રોજ લેવાશે

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2019 (16:52 IST)
બિન-સચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી તા.૧૭ મી નવેમ્બર-૨૦૧૯ ના રોજ યોજાશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. હવે ધોરણ-૧૨ પાસ અને ગ્રેજ્યુએટ યુવાનો પણ આ પરીક્ષા આપી શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓએ જે તૈયારી કરી હતી અને મા-બાપની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે માટે યુવા વર્ગ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલ રજુઆતોને ધ્યાને લઇને વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. 
 
રાજ્ય સરકારે યુવાનો સરકારી સેવામાં જોડાઇ શકે તે માટે ભૂતકાળની સરકારોએ ભરતીમાં જે કાપ મુક્યો હતો એ આ સરકારે કાપ ઉઠાવીને વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને તે મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. ગત વર્ષે ૭૦,૦૦૦ થી વધુ યુવાનોની સરકારી સેવાઓમાં ભરતી કરવામાં આવી છે જેનો લાભ પ્રજાને વધુ સારી રીતે સરકારી કામગીરી પુરી પાડવામાં થઇ રહ્યો છે. 
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન-સચિવાલય સંવર્ગમાં ૩૭૭૧ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ લોકસભાની સામાન્ય ચુંટણીઓની આચારસંહિતા આવવાથી ભરતી પ્રક્રિયા મોકુફ રહેલ. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ૧૦ % આર્થિક અનામતનો કાયદો બનાવ્યો તેનો રાજ્યના યુવાનોને લાભ મળે તે આશયથી ગુજરાતે ઇ.ડબલ્યુ.એસ. ક્વોટાનો દેશભરમાં સૌ પ્રથમ અમલ કરીને ઇ.ડબલ્યુ.એસ. ના ઉમેદવારોને પણ સરકારી સેવામાં તક મળી રહે તે માટે આ ભરતીમાં જોગવાઇ કરી છે. 
 
તેમણે ઉમેર્યુ કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફીકેશન બહાર પડી ગયું હોવા છતાય ૧૦ લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી. તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે. આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના ૩૧૭૧ જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન યુવાનોએ કરવાનું રહેશે નહી. પરીક્ષા માટેના કોલલેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી સેવાઓમાં યુવાનોને તક આપવા માટે જી.પી.એસ.સી., ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન થાય છે. જેમાં સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરીને યુવાનોને નોકરી આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments