Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાચા ખેડૂતોના આંદોલનમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે - નીતિન પટેલ

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (14:38 IST)
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે.
 
ભાજપ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદા જાગૃતિ અભિયાન કરી રહ્યું છે એમાં નાયબ મુખ્ય મંત્રીએ આ વાત કરી છે.
 
મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ''સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડા ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ આ બધા એમાં જોડાઈ ગયા છે.''
 
ભારતમાં ખેડૂત આંદોલનનો આજે બાવીસમો દિવસ છે ત્યારે વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ સુધારણા અધિનિયમ પર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
 
 
પંચમહાલ જિલ્લામાં મોરવા હડફમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી છે.
 
નીતિન પટેલે દાવો પણ કર્યો કે દેશવિરોધી પરિબળો આંદોલનને લાખો રૂપિયા આપે છે.
 
નીતિન પટેલે કહ્યું કે, ''આ સામ્યવાદીઓ અત્યારે ખેડૂતોની ભેગા બેસી ગયા છે. આ ખાલિસ્તાનવાદીઓ જે પંજાબને ભારતથી અલગ કરવા માગે છે, પાકિસ્તાનમાં જવા માગે છે, ભારત જોડે રહેવા નથી માગતા.''
 
એમણે કહ્યું કે, ''જેમ કાશ્મીરીઓ, આતંકવાદીઓ, અલગતાવાદીઓ કાશ્મીર ભારતમાં રહે તેમ નથી ઇચ્છતા એમ આ લોકો સામ્યવાદીઓ પણ સામ્યવાદની બોલબાલા કરે છે.''
 
નીતિન પટેલે કહ્યું કે ''આપણે સાચા ખેડૂતોને ટૂકડે ટૂકડે ગેંગ નથી કહેતા. સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડાં ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવાદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ બધા એમાં જોડાઈ ગયા છે.''
 
ખેડૂત આંદોલનમાં પિત્ઝાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ હતી તેને ટાંકીને નીતિન પટેલે કહ્યું કે ''આપણે જોઈએ છીએ કે (આંદોલનમાં) લોકો પિઝા ખાય છે અને પકોડી ખાય છે. બધુ મફત થાય છે કેમ કે દેશવિરોધી પરિબળો એમને લાખો રૂપિયા મફત આપે છે અને કહે છે કે લો લાખો રૂપિયા વાપરો અને પડ્યા રહો.''
 
એમણે એવો પણ દાવો કર્યો કે ''આખા દેશના ખેડૂતો આ ભાગલાવાદી, આતંકવાદી, ચીનતરફી, પાકિસ્તાનતરફી, ખાલિસ્તાનવાદીઓનાં હાથા બનવાના નથી.''
 
ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાંથી દસ હજાર જેટલા ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હી જવાના હોવાની વાત કહેવાઈ છે.
 
આંદોલનમાં ભાગ લેવા માગતા ગુજરાતના ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ અમુક ખેડૂત આગેવાનોએ સરકાર પર મૂકયો છે.
 
ગુજરાતના ખેડૂતોને દિલ્હીમાં આંદોલન કરવા જતા અટકાવવામાં આવી રહ્યા છે?
 
ભાજપનું જનજાગૃતિ અભિયાન
 
 
બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.
 
ઉલ્લેખનીય છે કે કૃષિકાયદાઓ પર સરકારની વાતચીત નિષ્ફળ રહી છે અને ખેડૂતોએ આંદોલન આક્રમક બનાવ્યું છે.
 
સરકાર કાયદાઓમાં સુધારણની વાત કરે છે પણ ખેડૂતો ત્રણેય કૃષિકાયદાઓને સંસદનું ખાસ સત્ર બોલાવી પાછા ખેંચવાની માગ કરે છે.
 
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિકાયદાઓ બાબતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે.
 
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિકાયદાઓ બાબતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે.
 
ગુજરાતમાં ભાજપની સરકાર અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદાઓ પર જનજાગૃતિ સભાઓ યોજી રહી છે અને તેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ તથા તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ ભાગ લઈ રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments