Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કબૂતર ચોરીના આરોપમાં 3 કિશોરોએ એક કિશોરની હત્યા કરી

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:21 IST)
સુરતના ડીંડોલી વિસ્તારમાં અપહરણ થયેલા 13 વર્ષની બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કબૂતર ચોરીનો આરોપ મૂકી બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસે બનાવમાં બે કિશોરની ધરપકડ કરી હતી.સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા સૂરજ મોરે ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે શંકર અને તેની પત્ની છાયા નોકરીએ ગયા હતા અને તેમનો 13 વર્ષનો પુત્ર રાજ ઘરે હતો. 
આ દરમિયાન રાજ રવિવારે સવારે 10 વાગ્યાના અરસામાં ગુમ થઈ ગયો હતો. બપોરે 2 વાગ્યે જ્યારે તેની માતા નોકરીએથી પરત આવી ત્યારે તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં તેમણે બાળકના પિતાને જાણ કરતા તેમને પણ શોધખોળ હાથ ધરી હતી. જોકે રાજનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં રાજની અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 
પોલીસ તપાસ શરૂ કરે તે પહેલાં જ રાત્રે 10 વાગ્યાના અરસામાં ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ રો-હાઉસની બાજુમાં આવેલ મેદાનની ખુલ્લી રૂમમાંથી રાજની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ડિંડોલી પોલીસ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ બનાવમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ સોસાયટીના જ અન્ય 3 બાળકો સાથે જતા નજરે પડ્યો હતો. જેના આધારે પોલોસે 3 પૈકી 2ની પૂછપરછ હાથ ધરી હતી. આખરે બંન્ને બાળકો પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા હતા અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી બાળકને ત્યાંથી સફેદ કબૂતર મૃતક રાજના ઘરે ઉડીને ગયું હતું. જેથી તેને જ કબૂતરની ચોરી કરી હોવાની આશંકાએ રાજને પાણી સપ્લાયનું કામ અપાવવાની લાલચ આપી હતી અને પોતાની સાથે ભેસ્તાન લઈ ગયા હતા. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments