Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોકરીની શોધમાં નિકળેલા યુવકને પાણીના ટેન્કરે ટક્કર મારતા મોત

Webdunia
બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (11:53 IST)
વહેલી સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. એક યુવક વહેલી સવારે કામની શોધમાં નિકળ્યો હતો તે દરમિયાન પાણી ભરેલા બેકાબૂ ટેન્કરે ટક્ક મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટના બાદ લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. લોકોએ ટેન્કર ડ્રાઇવરોને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર રોહિત પુત્ર ભિખારી પ્રધાન (41 વર્ષ) પત્ની અને બે પુત્રી સાથે ભેસ્તાના સિદ્ધાર્થ નગરમાં રહે છે. રોહિત મજૂરી કરતો હતો. રોહિત ચાલતો જઇ રહ્યો હતો તે દરમિયાન બેકાબૂ પાણીના ટેન્કરે ટક્કર મારી હતી. જેના લીધે ઘટનાસ્થળે જ રોહિતનું મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ડ્રાઇવર ટેન્કર નીચે ઉતરીને ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે આસપાસના લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસના હવાલે કરી દીધો હતો. પાંડેસરા પોલીસે ટેન્કર ડ્રાઇવર રણધીર નિર્ભયસિંહ ઠાકુરને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments