Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે

Webdunia
મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (23:37 IST)
ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારના ૯.૦૦ કલાકે રામકથા મેદાન, ચ-૩ સર્કલ નજીક, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. 
 
બેઠકના આરંભે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ઘ્વજ ફરકાવી સલામી આપવામાં આવશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાંધીનગર શહેરની ટ્રાફિક સુવિઘા, ગ્રાઉન્ડ પર બાળકો અને મહાનુભાવો તથા જાહેર જનતા માટેની બેઠક વ્યવસ્થા, પાણી અને અન્ય સુવિઘાઓ અંગેની માહિતી સંબંઘિત અઘિકારી પાસેથી મેળવી હતી. 
 
રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેમજ દેશ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. 
 
આ પ્રસંગે નિવાસી અઘિક કલેકટર એચ.એમ.જાડેજા, પ્રાંત અઘિકારી એસ.એમ.ભોરણિયા સહિત સંબંઘિત અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments