Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપમાં જોડાઇ શકે છે કોંગ્રેસના બે ધારાસભ્ય, રાજ્ય સરકારના કામોની કરી પ્રશંસા

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (16:30 IST)
ગુજરાત વિધાનસભાની છ સીટો પર પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો ચાલી રહી છે. રાજ્ય સરકારના સમારોહમાં સામેલ થયા બાદ વિકાસ કાર્ય માટે સમાચારપત્રોમાં જાહેરા આપીને સરકારની પ્રશંસા કરીને તેમણે કોંગ્રેસની વિશ્વનીયતા ગુમાવી દીધી છે. 
 
ગુજરાતના રાજકારણમાં એકસમયે દમદાર નેતાની છબિ ધરાવનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના પૂર્વ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાધેલા અંગત ગણાતા કોંગ્રેસના બે ક્ષત્રિય ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા તથા ગાંધીનગર ઉત્તરથી ધારાસભ્ય સીજે ચાવડાએ સોમવારે આયુષ્માન ભારત દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. રાજ્યમાં ઘણા વર્ષ પછી થયું છે કે કોંગ્રેસ ધારાસભ્ય કોઇ કાર્યક્રમમાં સામેલ થયા હોય, જોકે સરકાર પોતે વિપક્ષના નેતાઓને પોતાના સમારોહમાં આમંત્રિત કરતી નથી. 
 
કચ્છના સમાચારપત્રોમાં પ્રદ્યુમન સિંહે એક જાહેરાત આપીને પોતાના વિસ્તારમાં રોડ તથા અન્ય કામો માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો. જાહેરાતમાં ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નિતિન પટેલનો પણ ફોટો છે. પ્રદ્યુમન સિંહે કહ્યું હતું કે તેમણે પોતાના ક્ષેત્રનું કામ કરવું છે, એટલા માટે સરકાર સાથે સારા સંબંધો જરૂરી છે તથા તેમને ભાજપમાં જોડાવવાની કોઇ સંભાવના નથી. 
 
પ્રદ્યુમન સિંહ કચ્છની અબડાસા સીટ પરથી કોંગ્રેસની ટિકીટ પર ધારાસભ્ય ચૂંટાયા છે. તે લાંબા સમયથી રાજ્ય સરકારના કામોની પ્રશંસા કરતા રહ્યા છે. ગત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમની ભાજપમાં જોડાવની અટકળો ચાલી હતી.
 
તો બીજી તરફ ગાંધીનગર ઉત્તર સીટ પરથી ડો સીજે ચાવડા કોંગ્રેસની ટિકીટ પર વિજયી થયા હતા. સોમવારે સમારોહમાં બંને ધારાસભ્યોએ ભાગ લઇને બધાને આશ્વર્યચકિત કરી દીધા હતા. બંને ક્ષત્રિય નેતા એકસમયે શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતા હતા. પરંતુ શંકર સિંહ વાઘેલાના પાર્ટી છોડ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જ રહ્યા પરંતુ તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. ગત પાંચ વર્ષથી રાજ્યમાં કોંગ્રેસ ધારસભ્યો ભાજપમાં જોડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે જે હજુ પણ અટકવાનું નામ લેતો નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments