Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (14:30 IST)
સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારી ફેબ્રિકેશનનું કારખાનું ધરાવે છે અને તેણે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ પૈસા અને તેનું વ્યાજ ન ચૂકવી શકવાના કારણે વેપારી પર દબાણ વધતું જતું હતું. ત્યારે વેપારી પાસે વ્યાજખોરો દ્વારા અવારનવાર આકરી ઉઘરાણી કરવામાં આવી હોવાથી વેપારીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.
 
વેપારીએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments