Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૌભાંડી વિનય શાહની ધરપકડ થતા રોકાણકારોમાં મૂડી તો પાછી મળશે એવી આશા બંધાઈ

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (12:28 IST)
જાહેરાત જુઓ અને નાણાં કમાવ જેવી સ્કિમ બહાર પાડીને એક લાખથી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી ભાગી ગયેલો વિનય શાહ અંતે નેપાળમાં ઝડપાઈ ગયો હતો. જેને કારણે પોતાના ફસાયેલા પૈસા પરત મળશે એવી આશાએ રોકાણકારોએ સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર ઓફિસે ધસારો કર્યો હતો. જેમાં આજે એક જ દિવસમાં છેતરાયેલા ૧૩૦ જણાએ પોલીસનો સંપર્ક સાંધ્યો હતો.

કરોડોનું ફુલેકુ ફેરવીને વિનય શાહ ફરાર થઈ જતા રોકાણકારોને તેમના નાણાં પરત મળશે કે કેમ, એવી શંકા જાગી હતી. જોકે વિનય શાહ તેની સ્ત્રી મિત્ર સાથે નેપાળના કાઠમંડુમાં નેપાળ પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.

વિનય શાહની ધરપકડની માહિતી મળતા જ રોકાણકારોએ સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર સ્થિત ઓફિસે સવારથી જ ધસારો કર્યો હતો. સેક્ટર-૨૧માં સહયોગ સંકુલમાં આવેલી સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાની બહાર છતરાયેલા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં એક પોલીસ કર્મચારી એક પછી એક રોકાણકારને અંદર બોલાવી રજીસ્ટરમાં તેમના નામ સરનામા અને મોબાઈલ નંબરની નોંધણી કરતો હતો. બાદમાં વારાફરથી તેમને નિવેદન માટે બોલાવવામાં આવતા હતા.

આ કૌભાંડ થયું અને ગુનો નોંધાયો ત્યારથી છેતરાયેલા ૫૦ જણાએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા. જ્યારે ૨૭ નવેમ્બરના રોજ એક જ દિવસમાં ૧૩૦ રોકાણકારો અહીં ધસી આવ્યા હતા. જેમાં ૧૦૦ જણાના નિવેદન નોંધવામાં આવ્યા હતા. મોટેભાગે બાપુનગર, રખિયાલ,નરોડા અને ઓઢવના રોકાણકારો નિવેદન નોંધાવવા આવ્યા હતા. કેટલાક રોકાણકારોએ વિનય શાહની સીલ કરવામાં આવેલી મિલકત અને કબજે કરાયેલ રોકડ રકમમાંથી તેમને કંઈક તો મળશે, એમ કહ્યું હતું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments