Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતના આ પૂર્વ ગૃહમંત્રી કેમ નહીં લડી શકે કોઈપણ સહકારી ચૂંટણી

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (13:32 IST)
ગુજરાત હોઈકોર્ટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને  સહકારી ચૂંટણી લડવા પ્રતિબંધ મુકી દેતાં ઝટકો આપ્યો છે. તેમજ તેની પાસેથી રૂપિયા 42 કરોડ વસૂલવા આદેશ આપ્યો છે. વિપુલ ચૌધરી પાસેથી કલમ 93 હેઠળ 42 કરોડની વસુલાત માટે સરકારે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાનમાં વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 27-4-2018 ના રોજ ચૌધરીની આ અપીલને ફગાવી હતી. જેને લઈને વિપુલ ચૌધરીએ હાઈકોર્ટેની ડબલ બેચમાં પડકારી હતી. જેમાં કોર્ટે વિપુલ ચૌધરીને ઝટકો આપતા રૂપિયા 42 કરોડની વસુલાત કરવા માટે આદેશ કર્યો છે. તેમજ કલમ 93 હેઠળ દોષિત વ્યક્તિને કોઈ પણ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

જેથી વિપુલ ચૌધરીના સહકારી ક્ષેત્રના ભાવિ ઉપર પૂણે વિરામ મુકાઈ જશે.વર્ષ 1995માં જ્યારે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા.આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments