Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ ગાંધીનગરના સંતસરોવરમાં ડૂબી જવાની ઘટનાઓ રોકી શકાય તેમ નથી.

Webdunia
બુધવાર, 9 મે 2018 (13:07 IST)
ગાંધીનગરના સંત સરોવર ડેમ એક ફરવાનું ડેસ્ટિનેશન બની ગયો છે. અહીં આફત પણ નકારી શકાય તેમ નથી છતાંય લોકો ત્યાં ફરવા માટે આવે છે. સિંચાઈ વિભાગે અવારનવાર ચેતવણી આપી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને ફ્રેંડ્સ સાથે સંત સરોવર બેરેજમાં નહાવા અને ફરવા આવે છે. સિંચાઈ માટેનું બાંધકામ ખાસ કરીને બેરેજ જાહેર જનતા માટે ખુલ્લા નથી હોતા.

તેમ છતાં ઘણા લોકો સંત સરોવર બેરેજના દરવાજામાંથી નીકળતા પાણી સુધી પહોંચે છે અને ત્યાં સેલ્ફી લે છે. આ કારણે જ બે દિવસ પહેલાં ત્યાં દુર્ઘટના ઘટી.સોમવારે રાત્રે ગાંધીનગર ફાયર એંડ ઈમર્જન્સી સર્વિસિઝે ઈંદ્રોડા પાર્ક પાસે આવેલા સંત સરોવરમાંથી 20 વર્ષના વિશાલ ત્રિવેદી અને 35 વર્ષીય કનુ ધૂલિયાના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બંને મૃતકો સરદારનગરના રહેવાસી હતા. સોમવારે સાંજે બંને ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. દુર્ઘટના ઘટ્યા છતાં લોકોએ કોઈ શીખ ન લીધી. મંગળવારે હજારો લોકો બેરેજની મુલાકાતે આવ્યા હતા. ફાયર ઓફિસર્સે વારંવાર લોકોને આ જગ્યા ખાલી કરવા વિનંતી કરી હતી પરંતુ માત્ર કેટલાંક જ તેમની વાત માની. નજીકના ભૂતકાળમાં આ સ્થળે થયેલા અકસ્માતોને જોતાં GFESના અધિકારીઓએ શહેર પોલીસને આ સ્થળે મુલાકાતીઓને આવવા પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે.  સીનિયર ફાયર ઓફિસરે જણાવ્યું કે, જો આ રીતે બેરેજની સુરક્ષામાં છીંડા રહેશે તો આતંકીઓને આને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. જે રીતે લોકો સેલ્ફી લેવા માટે બેરેજના દરવાજા પર ચડી જાય છે તેને ધ્યાનમાં રાખીએ તો સોમવારે ઘટેલી દુર્ઘટના આશ્ચર્યજનક નહોતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments