Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશના વિકાસ મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૧૭માં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર થયો

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (12:24 IST)
જમ્મુ કાશ્મીરના કઠુઆ,યુપીના ઉન્નાવ અને સુરતમાં બાળકીઓ પર નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી દેવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સલામત ગુજરાતના નારાંઓ ગુંજી રહ્યા છે ત્યારે પોલીસના આંકડા કહે છેકે, આ જ ગુજરાતમાં સરેરાશ એક બાળકી પર બળાત્કાર થાય છે. ગૃહવિભાગના મતે, વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર ગુજારાયા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના મતે,દેશમાં ચાઇલ્ડ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે.

૧૮ વર્ષથી નીચેની આયુ ધરાવતાં બાળકો સાથેના અપરાધ વધી રહ્યાં છે. ગુજરાત પોલીસના મતે,વર્ષ ૨૦૧૬માં કોઇને કોઇ કારણોસર ૪૪ માસૂમ બાળકોની હત્યા કરી દેવામાં આવી હતી. ગુનેગારોને એટલો ગુજરાતમાં છુટો દોર મળ્યો છે કે,ખંડણી ઉઘરાવવાથી માંડીને વિવિધ કારણોસર બાળકોના અપહરણ પણ કરવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭માં બાળકોના અપહરણના ૨૫૧૪ કિસ્સા નોંધાયા છે. એટલે કે દર મહિને બાળકોના અપહરણના ૨૦૦ કિસ્સા નોંધાઇ રહ્યા છે. ૨૦૧૭માં જ ૬૬ બાળકોને માતાપિતાએ જ ત્યજી દેવાના કિસ્સા સામે આવ્યા હતાં. અમદાવાદમાં સૌથી વધુ ૫૩૮ કેસો નોંધાયા હતાં. મેટ્રોસિટી અમદાવાદ ચાઇલ્ડ ક્રાઇમમાં અગ્રેસર રહી છે. ગુજરાતમાં સરકાર રાત્રે પણ મહિલાઓ બિન્દાસ હરીફરી શકે છે તેવો દાવો કરેછે પણ મહિલાઓ તો ઠીક,પણ માસૂમ બાળકી પણ સલામત નથી.આજે બાળકીઓ પર વધતાં જતા બળાત્કારના કિસ્સાને પગલે માબાપ ચિંતાતૂર બન્યા છે. વર્ષ ૨૦૧૭માં આખાય રાજ્યમાં ૪૯૩ માસૂમ બાળકીઓ નરાધમોની હવશનો શિકાર બની હતી. બાળકીઓ અસલામત બનતાં રાજ્યના કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ખડાં થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

આગળનો લેખ
Show comments