Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત બંધ વખતની ઘટના, મહિલા PSIને બચકું ભરનારા કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (14:54 IST)
મહિલા PSI અને કોન્સ્ટેબલને બચકું ભરવાના આરોપમાં ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ કરાઈ છે. 2જી એપ્રિલના રોજ અપાયેલા ભારત બંધના એલાન વખતે અમદાવાદમાં થયેલા તોફાનોમાં આ ઘટના બની હતી. તેમની સામે 2 એપ્રિલના રોજ FIR દાખલ કરવામાં આવી હતી, જે સંદર્ભે ચાંદખેડા પોલીસે તેમની આજે ધરપકડ કરી હતી. ચાંદખેડામાં સાત જેટલી મહિલાઓએ પોલીસને બચકાં ભરતા તેમને 108માં સારવાર આપવી પડી હતી.રાજશ્રી કેસરી સાથે તેમની માતાનું નામ પણ આ એફઆઈઆરમાં સામેલ હતું. તેમના પર મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર  ચૌધરી પર હુમલો કરવાનો આોપ છે. મહિલા કોર્પોરેટરે રાજશ્રી કેસરીએ પોતાને ડિટેઈન કરી રહેલા સબ-ઈન્સ્પેક્ટર અને બે મહિલા કોન્સ્ટેબલોને બચકાં ભર્યાં હતાં. ભારત બંધ દરમિયાન ચાંદખેડામાં ચાલી રહેલા દેખાવો દરમિયાન આ ઘટના બની હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ અંગે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પહેલી વાર તોફાનીઓ પોલીસને બચકાં ભરી નાસી છૂટ્યા હોવાની ઘટના પણ અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદના કેટલાક સ્થળોએ તોફાનોના લાભ લઈ છાટકા બનેલા તોફાનીઓ પોલીસને બચકાં ભરી ભાગી ગયા હતા. સારંગપુરમાં પણ પોલીસને બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. દુકાનોમાં લૂંટ કરી ભાગતા એક યુવકે પણ પોલીસને બચકું ભર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments