Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરંગપુરાના Viva 3 બિલ્ડિંગમાં આગ, ઉપરનો માળ બળીને ખાક થઈ ગયો

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (11:22 IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા Viva 3 કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે સવારે સૌથી ઉપરના માળે અચાનક જ આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા તો આગની વિકરાળ જ્વાળાઓએ બિલ્ડિંગના ઉપરના ભાગને ખાક કરી દીધો હતો. આગની જ્વાળાઓ બારીઓની બહારથી પણ દેખાઈ રહી હતી.આગે ગંભીર સ્વરુપ ધારણ કરતા ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી પણ જોઈ શકાતા હતા. ફાયરબ્રિગેડના ત્રણ ટેન્કરો આગ પર કાબૂ મેળવવા માટે ધસી આવ્યા હતા, અને પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો હતો. થોડી જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આગ કયા કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી મળી શકી નથી.બિલ્ડિંગના પાછળના ભાગ સુધી પણ આગ ફેલાઈ ગઈ હોવાના કારણે ફાયરબ્રિગેડના જવાનોએ બાજુની બિલ્ડિંગની છત પર ચઢીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ સવારના સમયે લાગી હોવાથી બિલ્ડિંગમાં આવેલી ઓફિસો અને દુકાનો બંધ હતી, જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments