Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત સમાજના યુવાને બ્લેડથી પોતાના હાથની નસ કાપી, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કર્યું તિલક

Webdunia
સોમવાર, 2 એપ્રિલ 2018 (19:14 IST)
એટ્રોસિટી એક્ટ મુદ્દે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ગુજરાતમાં પણ ઠેર-ઠેર બંધની અસર જોવા મળી રહી છે. અમદાવાદના ચાંદખેડા, ગોમતીપુર, વાસણા, ચાંદલોડિયા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યાં છે. જેને લઇને એએમટીએસની બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.બંધના પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. બંધના સમર્થનમાં સારંગપુર ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. જ્યાં એક દલિત સમાજના યુવાને બ્લેડ વળે પોતાના હાથની નસ કાપી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તિલક કર્યું  હતું. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ચાંદલોડીયમાં ટોળાએ બસો અટકાવી દીધી છે. બંધના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments