Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભણસાલીની પદ્માવત લીક થઈ, લોકો મોબાઈલથી ધડાધડ શેર કરી રહ્યાં છે

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (14:25 IST)
સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ગુજરાતમાં ભલે રિલીઝ ન થઈ શકી હોય, પરંતુ આ ફિલ્મની પાઈરેટેડ કોપી સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર બતાવાઈ હતી, અને ત્યારથી જ ફિલ્મની પાઈરેટેડ કોપી ધડાધડ શેર થઈ રહી છે. એક ફોનથી બીજા ફોનમાં આ ફિલ્મની કોપીને ટ્રાન્સફર કરાઈ રહી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.આ ફિલ્મની પાઈરેટેડ કોપી પણ એચડી ક્વોલિટીની છે, અને તેના સાઉન્ડની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. ગુજરાતમાં આ ફિલ્મ લીક થવાના મામલે હજુ સુધી પાઈરસીના આરોપ હેઠળ કોઈ ફરિયાદ નથી

નોંધાવાઈ.બોલિવુડની મોટાભાગની ફિલ્મો રિલીઝ થાય તેના ગણતરીના દિવસોમાં જ તેની પાઈરેટેડ કોપીઓ માર્કેટમાં આવી જતી હોય છે. જોકે, આવી પાઈરેટેડ કોપી મોટાભાગે થિયેટરમાં મૂવી ચાલી રહ્યું હોય ત્યારે તેનું વીડિયો કેમેરાથી શૂટ કરીને બનાવવામાં આવી હોય છે, જેમાં સાઉન્ડ પણ સારો નથી હોતો. પરંતુ પદ્માવતની જે કોપી લીક થઈ રહી છે તેની પાઈરસી આ રીતે નથી થઈ.આ ફિલ્મ ગુજરાતના થિયેટરોમાં તો રિલીઝ થઈ જ નહોતી. તેવામાં અહીંના કોઈ થિયેટરમાં શૂટ કરી તેને લીક કરવાનો સવાલ જ નથી. જોકે, આ કોપી થિયેટરમાં શૂટ કરાયેલી નથી, તેવામાં સવાલ એ છે કે આખરે આ ફિલ્મ કઈ રીતે લીક થઈ? પાઈરેટેડ કોપીની ક્વોલિટી જોતા કોઈ ભેજાબાજે ઈન્ટરનેટ પરથી કોઈ ટૂલનો ઉપયોગ કરી વીડિયો સ્ટ્રિમિંગ એપ પરથી તેની કોપી મારી હોય તે શક્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments