Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર માત્ર આદેશો કરે છે, શાળા સંચાલકો બેફામ બન્યાં છે, વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (14:50 IST)
ધો.10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે હોલ ટિકિટના મુદાને લઇ શાળા સંચાલકો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેમા વિદ્યાર્થીઓનો ખો નીકળી રહ્યો છે. રાજકોટમાં હુડકો નજીક આવેલી સોમનાથ શાળામાં એક વિદ્યાર્થિની પર સતત ફીનું ટોર્ચરિંગ થઇ રહ્યું હતું અને તેને હજુ રિસીપ્ટ નહીં મળતા વિદ્યાર્થિની ડિપ્રેશનમાં આવતા ચક્કર આવી ગયા હતા તેને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી છે. આ મુદ્દે એનએસયુઆઇના કાર્યકરો દોડી જઇ સ્કૂલને તાળાબંધી કરી હતી.

શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે, સરકારે કહ્યું છે કે, ફી મુદે કોઇની રિસીપ્ટ અટકવી ન જોઇએ છતાં સંચાલકો મનમાથી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ એક જ જવાબ છે કે, ફરિયાદ મળે પગલા લેશું. હાલ સોમનાથ શાળાના સંચાલકો મનમાની કરી રહ્યા છે ત્યારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. બે દિવસ પહેલા પણ પાઠક સ્કૂલ અને એક વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા એનએસયુઆઇ દોડી ગયું હતું.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ કર્યો છે કે, ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ હોલ ટિકિટ ફાળવી દેવી છતાં શાળા સંચાલકો પઠાણી ઉઘરાણી કરી યેન કેન પ્રકારે પરીક્ષા સમયે જ વાલી અને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments