Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોના મોત

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (14:07 IST)
આજે ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ સિંહોના મોત અંગે માહિતી આપતાં કહ્યું હતું કે  ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. જેમાં 152ના કુદરતી રીતે મૃત્યુ થયા છે જ્યારે 32 સિંહ અકુદરતી મૃત્યુ પામ્યા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નના ઉત્તરમાં વન મંત્રીએ લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ,સિંહણ અને સિંહ બાળના મૃત્યુ થયા છે.

જેમાં 2016માં 104 અને 2017માં 80 સિંહના મોત થયા છે.સૌથી વધુ બે વર્ષમાં 74 સિંહણના, 39 સિંહ બાળ અને 71 સિંહોના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં 152 સિંહ, સિંહણ અને સિંહ બાળના કુદરતી મૃત્યુ થયા છે. જેમાં 2016માં સૌથી વધુ 92 સિંહોના મોત થયા હતા. જ્યારે 2016 અને 2017ના વર્ષમાં કુલ 32 સિંહ, સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુ થયા છે. જ્યારે 2016માં 12 અને 2017માં 20 સિંહણનો સમાવેશ થાય છે. વર્ષ 2016 અને 2017 મળીને કુલ 32 સિંહ, 57 સિંહણ અને 63 સિંહ બાળના કુદરતી રીતે મૃત્યુ થયા છે. અકુદરતી મોતમાં છેલ્લા બે વર્ષમાં 7 સિંહ, 17 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે. વિધાનસભામાં વન મંત્રીએ સિંહ,સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુને અટકાવવા માટે સરકારે કરેલી વ્યવસ્થાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગીર રક્ષિત વિસ્તારમાં નજીક આવેલ રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ અને ફરતે પારાપેટ(નાની દિવાલ) બનાવવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેકના બંને બાજુ ફેન્સીંગ કરેલી છે. આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રની નિમણુંક કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments