Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો હાર્દિક પટેલ ક્યારે આંદોલન શરૂ કરશે

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (16:45 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરીએકવાર પાટીદાર આંદોલનને સક્રીય કરવા માટે તૈયારીઓ કરી લીધી છે અને આ માટે તેણે આંદોલન કરવાની તારીખની પણ જાહેરાત કરી દીધી છે. વિસનગર કોર્ટમાં એક કેસમાં હાજરી આપવા આપવા હાર્દિક પટેલે સરકાર પર આરોપો લગાવ્યા હતા કે, તેમના આંદોલનને તોડવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, મને મહેસાણામાં એન્ટ્રી ન મળે તે માટે સરકાર દરેક સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અમને કાયદા પર વિશ્વાસ છે.તેણે પાટીદાર અનામત આંદોલન અંગે કહ્યું હતું કે, આગામી 10 માર્ચના રોજ ફરીથી આયોજન કરીને અનામત આંદોલન શરૂ કરવામાં આવશે.

તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી માગણી પૂરી ન થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. હાર્દિક પટેલ વિસનગર કોર્ટની બહાર કહ્યું હતું કે મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ મળતો નથી અને પ્રવેશના થાય એ માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈનું નામ લીધા વગર તેમણે ચાબખા મારતાં કહ્યું હતું કે અમુક લોકોને કોર્ટના ધક્કા નથી અને એ લોકો કહે છે આંદોલન કેમ નથી કરતા. એ લોકોને એટલું કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિ અને વાતો મલકની કરવાની. તેમણે પોતાની સાથે હતા અને દગો આપીને હાર્દિકથી છેડો ફાડી ચૂકેલા નેતાઓ પર આ પ્રહારો કર્યા હતા. કોર્ટ બહાર તેમને મળવા માટે તમામ વર્ગ અને તમામ જ્ઞાતિના યુવાનો દોડી આવ્યા હતાં અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. હાર્દિકને પછાડવા અને બદનામ કરવા માટે ભાજપ અને તેના સાથીદારોએ તમામ કક્ષાએ ગયા હોવા છતાં તેની લોકપ્રિયતા ઘટવાના બદલે વધી રહી છે તે આજની ઘટના પરથી કહી શકાય તેમ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments