Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ૪૫૩ લોકોએ ધર્મ પરિવર્તન કરવા અરજીઓ કરી

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:14 IST)
ગુજરાતમાં સામાજિક સહિત અનેક કારણોસર લોકો અન્ય ધર્મ અપનાવવા લોકો પ્રેરાઇ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૫૩ જણાંએ ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર સમક્ષ અરજીઓ કરી હતી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, દરેક ધર્મના લોકો પોતાના ધર્મમાં શ્રધ્ધા રાખે તેવુ વાતાવરણ રાજ્યમાં ઉભુ થઇ શક્યુ નથી. રાજ્યમાં સૌથી વધુ ધર્મ બદલવા માટે બનાસકાંઠામાં ૧૯૪ અરજીઓ થઇ હતી તે પૈકી સરકારે માત્ર ૨ જણાને જ ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી છે.સુરેન્દ્રનગરમાં પણ ૫૫ જણાં અન્ય ધર્મ અપનાવવા સરકારને અરજી કરી હતી. આ તમામ અરજીકર્તાને સરકારે ધર્મ પરિવર્તન માટે લીલી ઝંડી આપી હતી.

ગુજરાતમાં કુલ મળીને ૧૭૧ જણાંને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી હતી. જોકે, મહિસાગર,તાપી,ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં ધર્મ પરિવર્તનની એકેય અરજી થઇ ન હતી. ૪૦૨ હિંદુઓ જયારે ૩૫ મુસ્લિમોએ ધર્મ બદલવા સરકાર સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. એક શીખ અને ૯ ખ્રિસ્તીઓએ પણ અન્ય ધર્મ અપનાવવા અરજીઓ કરી હતી.આમ, ધર્મ પરિવર્તનની અરજીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુઓ જે ધર્મપરિવર્તન કરે છે તે મહદઅંશે બૌધધર્મ તરફનું હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments