Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ૬,૯૦,૪૨૩ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (17:03 IST)
શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વરા વ્યાપક રીતે ચલાવવામાં આવી રહેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૬,૯૦,૪૨૩ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વિસનગરના ધારસભ્ય ઋષિકેશ પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાબતે પુછવામાં આવેલા લેખીત પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા ૭,૭૫,૪૮૦ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૬માં ૩,૯૪,૩૯૯ બાળકો તથા વર્ષ-૨૦૧૭માં ૩,૮૧,૦૮૧ બાળકોને ચકાસવામાં આવ્યા હતા. તે પૈકી ૨૦૧૬માં ૨૪,૭૨૧ બાળકોને સ્થળ પર સારવાર અપાઇ હતી જ્યારે ૮૭૧ બાળકોને નજીકની હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૭ દરમિયાન ૩૭,૬૫૩ બાળકોને સ્થળ પર સારવાર અપાઇ હતી અને ૭૫૨ બાળકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ યોજના હેઠળ બે વર્ષમાં કુલ રૂ.૨૨,૮૦,૦૦૦ નો ખર્ચ થયો હતો.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૩,૦૯,૩૪૨ બાળકોને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તે પૈકી ૨૪,૧૧૮ બાળકોમાં મુખ્યત્વે પાંડુરોગ, આંત્રકૃમિ, દાંત, આંખ, કાન, નાક અને ગળાની તકલીફ તથા ચામડીની બિમારીઓ જણાઇ આવી હતી. જ્યારે ૧૭૨ બાળકોને હ્રદય રોગની સઘન સારવાર માટે યુ.એન.મહેતા ઇન્સ્ટ્રીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે મોકલી અપાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments