Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:15 IST)
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થતાં તેમના સર્મથકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે નારાજ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને આપવાની જાહેરાત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી. આવતીકાલે તેઓ ફોર્મ ભરશે.  રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના સમર્થકો અને કાર્યકરોના મોં મીઠા કરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી વિજેતા બની ભાજપની સરકાર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારમા મંત્રીમંડળની રચના બાદ નારાજગી જોવા મળી હતી.

જેમાં નાણાં ખાતુ લેવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વિરોધ કર્યો હતો એટલું જ નહીં વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોને પણ મંત્રી પદ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રી પરસોતમ સોલંકીએ પણ કેબીનેટ મંત્રી પદ લેવા નારાજગી દર્શાવી હતી. આમ, રૂપાણી સરકારમા ધારાસભ્યોની વધતી જતી નારાજગી વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નારાજ રાજેન્દ્ર ત્રિવેદીને બેસાડવાનો નિર્ણય કર્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments