Webdunia - Bharat's app for daily news and videos

Install App

માર્ચ મહિના દરમિયાન પદયાત્રા યોજી ગામડા ખુંદી લોકજાગૃતિની જેહાદ જગાવાશે : હાર્દિક

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:37 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરી એક વખત ધૂણી ધખાવી છે. જૂનાગઢ ખાતે સેવ યુથ સંમેલનને સંબોધતા હાર્દિકે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન થકી માત્ર પટેલોને જ નહી પણ અન્ય જાતિઓ અને જ્ઞાતિઓને પણ અનામતનો લાભ મળી રહેવાનો છે. બિન અનામત આયોગમાં પટેલ ઉપરાંત અન્ય જાતિઓને પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર અનામત આંદોલનમાં યુવાનો સાથ આપે તે જરૂરી છે. સભાને સંબોધતા હાર્દિકે કહ્યું કે રાજનેતા બનવા આવ્યો નથી પણ સમાજ સેવક બનવા આવ્યો છું. લોકોને શું આપી શકું તે મહત્વનું હોય છે.

પંજાબી હોટલ કે ઢાબામાં જાઓ તો ત્યાં માત્ર પંજાબી ખાવાનું જ મળશે. સાઉથ ઈન્ડીયન ડીશ નહી. આ સ્થિતિને બદલવી છે. પંજાબી ઢાબામાં સાઉથ ઈન્ડીયન પણ મળે અને ગુજરાતી થાળી પણ મળે. આવી જ રીતે સરકારે પણ લોકોને શું જોઈએ તે સમજવાની જરૂર છે. હાર્દિકે કહ્યું કે ભાજપ-કોંગ્રેસથી કોઈ લેવા દેવા નથી. યુવાનોને માત્ર રોજગારથી લેવા દેવા છે. જીએસટી ઘટે, મગફળીના પુરતા ભાવ મળે તેનાથી નિસ્બત છે. હવે હાર્દિકનું બધું ખુલ્લું થઈ ગયું છે. લોકોએ કપડામાં પણ જોયો અને કપડા વગર પણ જોયો છે. એટલે હવે એ લોકો શું ખુલ્લું કરવાના છે. કેટલાક લોકો કહે છે કે રાજકારણ કરવા આવ્યો છું તો કહેવા માંગું છું કે મારે હજુ ઘણું કામ કરવાનું છે. લોકોએ સીએમ બનાવવો હશે તો ચોક્કસપણે સીએમ બનીશ.હાર્દિકે પોતાની ભાવિ યોજના અંગે કહ્યું કે માર્ચ મહિનાથી સમગ્ર ગુજરાતમાં પદયાત્રા શરૂ કરવામાં આવશે. ગામડે-ગામડે જાજાગૃતિ લાવવામાં આવશે અને લોકોને થતાં અન્યાયની સામે અવાજ બુલંદ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments