Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ‘મીની કુંભ’ જાહેર, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (14:24 IST)
મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર ખાતે યોજાતા ભવનાથના મેળાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો છે. વિજય રૂપાણે કહ્યું કે, ગિરનારના મહા શિવરાત્રિના મેળાનું આગવું મહત્વ છે અને અહીં દર વર્ષે લાખો શિવભક્તો આ મેળામાં આવે છે. આગામી વર્ષથી આ મેળાને મીનિ કુંભ તરીકે ઓળખવામાં આવશે અને દર્શનાર્થે આવતા ભક્તોને તમામ સુવિધાઓ આપવામાં આવશે.મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત મંગળવારે કરવામાં આવી.

તેમણે કહ્યું કે, આગામી વર્ષથી આ મેળાના આયોજન અને વ્યવસ્થાપન માટે ગિરનાર ઑથોરિટી ડેવલપમેન્ટ રચના કરવામાં આવશે જે ગિરનારના દર્શને આવતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન થાય તેની કાળજી લેશે. દર વર્ષે મહા શિવરાત્રિના પર્વ પર યોજાતા આ મેળાનું ખૂબ જ મહત્વ છે. મેળામાં શિવભક્તોની ભીડ ઉમટે છે અને સાથે-સાથે નાગા સાધુના દર્શનનો પણ મહિમા છે.મેળાના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહીં આવેલો દામોદર કુંડમાં ડૂબકી લગાવવાનું ખૂબ મહાત્મ છે. આ કુંડમાં માત્ર નાગા સાધુઓ જ ડૂબકી લગાવે છે. આ ઉપરાંત અહીં નીકળતી ભગવાન શિવની શોભાયાત્રાનું પણ અનેરું મહત્વ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments