Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં માવઠુ થવાની ભિતી, પાકોને નુકશાન થશે

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:18 IST)
ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી, દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ જ રહી છે ત્યાં હવે આજે વાદળછાયું વાતાવરણ થઇ જતાં મોસમના 'ત્રિવેણી સંગમ' જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ક્યાંક સાધારણ છાંટા પણ પડયા હતા. હજુ આવતીકાલે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


વાતાવરણમાં અચાનક આવેલા પલટા અંગે હવામાન વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે, 'પંજાબ અને તેની આસપાસના વિસ્તારમાં ૧.૫ કિલોમીટરે દરિયાઇ ઉંચાઇનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઇ ગયું છે, જે દક્ષિણ રાજસ્થાન સુધી ફેલાયેલું છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. ગુરુવારથી વાદળા વિખેરાઇ જશે અને સમગ્ર રાજ્યમાં વાતાવરણ પૂર્વવત્ થઇ શકે છે. અમદાવાદના એસજી હાઇવે, ગોતા, નારોલ, સહિતના કેટલાક વિસ્તારમાં સાંજે હળવા છાંટા પડયા હતા. વાદળછાયા વાતાવરણથી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને પારો ૨૮.૧ ડિગ્રી નોંધાયો હતો.

ગત રાત્રિએ અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ૧૧.૬ ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને ૩૪ ડિગ્રી સાથે સુરતમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જોકે,કેટલાંક ઠેકાણે વરસાદના છાંટા પડયાના પણ અહેવાલો સાપડયા છે પરિણામે આ વાતાવરણ ખેતી માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. વાદળછાયુ વાતાવરણને લીધે જીરૃ,રાયડો,આંબો,વરિયાળી,અજમો સહિતના પાકોને નુકશાન થઇ શકે છે. સોમવારે વહેલી સવારથી જ અમદાવાદ સહિત આખાય રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું.ઠંડા પવનો સાથે આખુય વાતાવરણ બદલાયુ હતું. બદલાયેલા વાતાવરણને લીધે શિયાળુ પાકને નુકશાન પહોંચી શકે છે. ખેતી નિષ્ણાતો કહે છેકે, આંબાના ઝાડ પર કેરીના ફુલોમાં હોપર મેંગો નામની જીવાત વધી શકે છે.કેરીના ફુલ પણ ખરી શકે છે. આ જ પ્રમાણે,જીરાના પાકને વ્યાપકપણે નુકશાન થવાનો અંદાજ છે.જીરાના પાકમાં ય બ્લાઇટ નામનો રોગ થવાની શક્યતા રહેલી છે. વાદળછાયુ વાતાવરણ રાયડાના પાક માટે પણ અનુકુળ નથી. વરિયાળીમાં ય મોલોમસીનો ઉપદ્રવ વધી શકે છે. દાડમના પાકને પણ આ વાતાવરણ નુકશાન પહોંચાડી શકે છે કેમ કે, ફળમાખી નામની જીવાત થઇ શકે છે. આમ,વાદળછાયુ માહોલ શિયાળુ પાકને નુકશાન પહોચાડી શકે છે તેવી ભિતીને લીધે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.માવઠુ થાય તો ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments