Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પુત્રવધુએ સસરાને જીવતા સળગાવ્યા

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)
અમદાવાદ શહેરમાં પુત્રવધુએ જ સસરાને જીવતા બાળી મૂકવાનો પ્રયત્ન કર્યો. સાઉદી અરેબીયા રહેતા સસરા છેલ્લા આઠ મહિનાથી અમદાવાદ પરત ફર્યા હતા. સસરા પરત ફર્યા બાદ તેમની પુત્રવધુ રિસાઇને પુત્રને લઈને પોતાના પિયર જતી રહી હતી. ગુરુવારે સસરા પુત્રવધુને મનાવા માટે અને પૌત્રને રમાડવા માટે કુબેરનગર ગયા હતાં. આ દરમિયાન સસરાને પુત્રવધુની માતાએ ધક્કો મારી નીચે પાડી દઇ જ્વલનશીલ પ્રવાહી નાખી આગ ચાંપી દીધી હતી.

સસરાએ પુત્રવધુના નામથી બુમો પાડી છતાં કોઇએ બચાવ્યા નહી આખરે અવાજ સાંભળી તેમનો પુત્ર અને આસપાસના લોકો દોડી આવતા તેઓએ તેમને બચાવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સસરા હરીશભાઈ પરમાર 95 ટકા દાઝી જતાં તેમની હાલત ગંભીર હોવાનું સીવીલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું. જે બાદ આજે શુક્રવારે સારવાર દરમિયાન હરીશભાઇનું મોત નિપજ્યું હતું. મોત પહેલાં હરીશભાઈએ પોતાની પુત્રવધૂ, તેની માતા અને બહેન વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવેલી,  જોકે, હવે હરીશભાઇના મોત બાદ હત્યાની કલમ ઉમેરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments