Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતીલાલાઓની દરિયાદિલિ, બે હજાર કરતાં વધુ લોકો કરશે અંગદાન

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:11 IST)
ઓર્ગન ડોનેશનમાં સુરત દેશ ભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી સામે આવી છે. રવિવારે શહેરીજનોમાં અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાઈ તે માટે યોજાયેલ ડોનેટ લાઇફ વોકાથોનમાં 2500 જેટલા લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. જેમાં કેટલા તો સંપૂર્ણ પરીવારે આ પ્રવૃત્તિમાં ભાગ લઈ અનોખી મિસાલ સર્જી હતી. રવિવારે શહેરમાં આ કાર્યક્રમ આગામી 24 ફેબ્રુઆરીના સુરતમાં યોજાનાર નાઇટ મેરેથોનના ભાગરુપે યોજાયો હતો. જેમાં સુરતના ડૉક્ટર્સ, જાહેર ક્ષેત્રોના મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ અને સામાજીક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

વર્ષ 2017માં ગુજરાતમાં કરવામાં આવેલ કુલ 180 જેટાલ અંગદાનમાંથી 91 કિસ્સા સુરત એકલા શહેરના છે. એક સર્વેના આંકડા મુજબ દેશમાં દર વર્ષે જરુરી અંગ સમય રહેતા ન મળવાના કારણે 5 લાખ જેટલા લોકો મોત પામે છે. ત્યારે અંગદાન મુવમેન્ટમાં સુરત ખૂબ મોટો ફાળો આપી શકે છે. સુરતના ડુમસ રોડ પર યોજાયેલ આ વોકાથોનને શહેરના મેયર અસ્મિતા શિરોયાએ લીલી ઝંડી દેખાડી હતી. તેમણે કહ્યું કે, ‘આપણે ત્યારે જ અંગદાનનો મહિમા સમજાય છે જ્યારે આપણું નજીકનું કોઈ સંબંધી જરુરી અંગ ન મળવાના કારણે મોત પામે છે. માટે આપણે પહેલાથી જ જાગૃત બની અંગદાન માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments