Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્ય પ્રદેશમાં ઓછા વરસાદને લીધે ગુજરાતનું 'વોટર મેનેજમેન્ટ' ખોરવાયું

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (12:58 IST)
ગુજરાતમાં આ વખતે સરેરાશ ૩૫.૭૭ ઈંચ વરસાદ પડયો હોવા છતાં ઉનાળા દરમિયાન પાણીની ભારે તંગીનો સામનો કરવો પડી શકે છે. જળના સ્ત્રોત તરીકે ગુજરાતનો મુખ્ય આધાર સરદાર સરોવર નર્મદા ડેમ પર હોય છે. મધ્ય પ્રદેશમાં આવેલા નર્મદા નદીના મહત્તમ વિસ્તારમાં ગત ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડયો હતો અને સરદાર સરોવર ડેમને સામાન્યની સરખામણીએ આ વખતે ૪૫% પાણી મળી શક્યું હતું. રાજ્ય સરકારે તાજેતરમાં જ સિંચાઇનું પાણી પૂરું પાડવાની અસમર્થતા દર્શાવી હતી અને તેના લીધે ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી ટાળવા પણ નિર્દેશ કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાત સરકારે ઉદ્યોગોને મળતા પાણીના જથ્થા પર પણ કાપ મૂકવાના પણ સંકેત આપ્યા છે. જળ સંચાલનમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીના સલાહકાર બી.એન. નવાવાલાએ જણાવ્યું હતું કે, 'નર્મદાના સરદાર સરોવર પ્રોજેક્ટ પર જ હાલમાં જે સઘળો મદાર રાખીએ છીએ તેમાં પુનઃવિચાર કરવો પડશે. નર્મદાથી મળતો જળસ્ત્રોત મુખ્ય નહીં પણ વૈકલ્પિક સ્ત્રોત તરીકે જોવામાં આવવો જોઇએ. ' સરદાર સરોવર ડેમને ભાજપના નેતાઓ દ્વારા જ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને ૧૩૧ શહેર-૯૬૩૩ ગામડામાં તેનું પીવાનું પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્યાંક છે. આ ડેમથી ગુજરાતના ૧૫ જિલ્લાના ૭૩ તાલુકાના ૩૧૧૨ ગામડાની ૧૮.૫૪ હેક્ટર જમીનમાં સિંચાઇનું પાણી પહોંચાડશે તેવો સરકારનો અંદાજ છે. પરંતુ સરકારના અંદાજ-લક્ષ્યાંક અને વાસ્તવિક્તામાં મોટો તફાવત છે. નર્મદા ટ્રિબ્યુનલ દ્વારા ૯ મિલિય એનકર ફિટ પાણી પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે આ વખતે મધ્ય પ્રદેશમાં નબળા ચોમાસાને લીધે ગુજરાતને ૪૫ ટકા ઓછું માત્ર ૪.૭૧ મિલિયન એકર ફિટ પાણી મળશે. એક મ્યુનિસિપલ અધિકારીના મતે સરકારે મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ જેવા સ્થાનિક જળસ્ત્રોતની કરેલી અવગણનાની કિંમત આ વખતે ઉનાળા દરમિયાન ચૂકવવી પડી શકે છે. હાલ નર્મદા નદી પર જ સઘળો મદાર રાખવાથી આ વખતે ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments