Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉંગ્રેસનું હવે ગુજરાતનાં મંદિરોમાં નવસર્જન ૧૪૮ મંદિરોને પૂજાની કિટ્સ ભેટમાં આપશે

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:17 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો હતો. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીના પ્રચારાર્થે આવ્યા હતા ત્યારે સોમનાથ, દ્વારકાધીશ, ડાકોર અને અંબાજી સહિતના મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. કૉંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ અપનાવતા ચૂંટણીમાં કૉંગ્રેસને ૮૦ જેટલી બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો. હવે કૉંગ્રેસ દ્વારા શ્રીરામ સૂર્યોદય સંધ્યા આરતી કમિટીની રચના કરી છે.

ગામડાઓમાં રામ મંદિરોની કાયાકલ્પ માટે કમિટી કામ કરશે. સૌરાષ્ટ્રના ૧૪૮ ગામોના મંદિરોમાં પૂજા કિટ અપાશે. કિટમાં શંખ, ઝાલર, નગારા અને પૂજા માટેની સામગ્રી હશે. ગુજરાતમાં કૉંગ્રેસ હિંદુત્વના માર્ગે આગળ વધી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ હિંદુત્વના માર્ગે આગળ વધી આગામી ચૂંટણીમાં કૉંગ્રેસનો ડંકો વગાડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા જે રીતે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા તે જોતાં, કૉંગ્રેસની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર આવી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું હતું. ગુજરાતમાં કૉંગ્રેસ ભલે હારી પણ જે રીતે તેને લાભ થયો છે તે જોતાં કૉંગ્રેસે હવે નવી રણનીતિ અપનાવી છે. જે અનુસાર, કૉંગ્રેસ પ્રચાર-પ્રસારના ભાગ રૂપે હવે સૌરાષ્ટ્રના ૧૪૮ ગામડાઓમાં મંદિરોમાં પૂજા કીટ આપશે. કિટમાં શંખ, ઝાલર, નગારા, સજાવટનો સામાન આપવામાં આવશે. કૉંગ્રેસ આ પૂજન કિટના વિતરણ થકી તે હિંદુ વિરોધી પક્ષ હોવાની માન્યતા દૂર કરવા પ્રયાસ કરશે. કૉંગ્રેસમાં આ માટે શ્રી રામ સૂર્યોદય સંધ્યા આરતી કમિટીની રચના કરાશે. રામ મંદિરોના કાયાકલ્પ માટે કમિટીની રચના કરવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અનેક મંદિરોમાં ગયા હતા અને કૉંગ્રેસ માટે તેમ જ તેમના માતાના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ માગ્યા હતા. જેને પગલે ચૂંટણીમાં કૉંગ્રેસને લાભ પણ થયો હતો. કૉંગ્રેસ સોફ્ટ હિંદુત્વની નીતિ આગામી સમયમાં ચાલું જ રાખશે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પૂજા માટે ઉપયોગમાં આવતી શંખ, ઝાલર, નગારા સહિતની સામગ્રી આ કિટમાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments