Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા લોકમાંગ

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:29 IST)
ગુજરાતમાં  શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી શરુ થવી જોઇએ એવી લોકોમાં માંગ ઉઠી છે. અસમની ભાજપ સરકારની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકારે પણ કટ ઓફ ડેટ મુજબ નાગરિક કાનુની દસ્તાવેજીકરણ પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. કારણ કે નેશનલ રજીસ્ટર ઓફ સીટિઝન ઓફ ઇન્ડિયા હેઠળ શંકાસ્પદ નાગરીકોની જાત તપાસ કરી શકાય છે. એમ કરવાથી વર્ષો પહેલા ગેર કાયદેસરને કાયદેસરમાં તબ્દિલ થયા હોય તેવા કિસ્સામાં રેશનકાર્ડ જેવા પુરાવા આપવામાં મદદ કરનારા ભષ્ટ અધિકારીઓ પણ ખુલ્લા પડશે.ઘણી વાર ગેર કાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પણ પોતાનો રહેઠાણનો પુરાવો ધરાવતા હોય છે

પરંતુ આ પૂરાવો કેટલો જુનો છે તે પણ મહત્વનું છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ચંડોળા તળાવ તથા તેની આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વર્ષોથી રહે છે. આ ઉપરાંત કચ્છ,ભરુચ, સુરત, વડોદરા સહિત ગુજરાતના અનેક સ્થળે વસવાટ કરવા લાગ્યા છે. થોડાક સમય પહેલા એટીએસ દ્વારા ભરુચમાં એક સંદિગ્ધ બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી.તે બાંગ્લાદેશના ખૂલના જિલ્લાના બલિયા ડાંગનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. ખાસ કરીને છેતરપિંડીથી લગ્ન અને દેહ વેપારના સોદામાં પણ બાંગ્લાદેશીઓની શંકાસ્પદ ભૂમિકા હોય છે. બાંગ્લાદેશીઓ શરુઆતમાં કચરો વિણવો કે સાફ સફાઇનું કે ભંગાર વિણવાનું કામ કરીને પછી ધીમે ધીમે સેટ થઇ જતા હોય છે. વિઝા વગર બોર્ડર પાર કરીને ગેર કાયદેસર રીતે પ્રવેશ્યા બાદ ગુજરાત, જેવા વિકસિત રાજયમાં નાના મોટા ધંધા રોજગાર મળી રહે છે. આથી ગુજરાતમાં પણ સેંકડો બાંગ્લાદેશીઓએ રહેઠાણ બનાવ્યું હોવાની શંકા વ્યકત કરવામાં આવે છે. ભૂતકાળમાં ચંડાળા તળાવ,વટવા,નારોલ ઉપરાંત નોબલનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાંથી પણ બાંગ્લાદેશીઓ પકડાયા પણ હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments