Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત સંસ્થાઓ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન, પોલીસને ખડેપગે રહેવા આદેશ

Webdunia
ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (12:17 IST)
દલિતોના હિતના રક્ષણ માટે ડો. આંબેડકરે 1926માં સ્થાપેલા સમતા સૈનિક દળ (SSD)એ ગુરુવારે સમગ્ર ગુજરાત બંધ રાખવાનું એલાન કરતા ગુજરાત પોલીસ હાઈ અલર્ટ પર છે.  ભીમા-કોરેગાંવમાં ભડકી ઊઠેલી હિંસાને પગલે સૈનિક દળ દ્વારા ગુજરાત બંધનું એલાન કરાયુ છે. ગુજરાત શાખાના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ દલિતોના શોષણ સામ જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપશે. ઈનચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે બધા જ એસપી તથા પોલીસ કમિશનરોને સાબદા રહેવાની સૂચના આપી દીધી છે.

પ્રમોદકુમારે જણાવ્યું, ગુરુવાર સવારે 6 વાગ્યાથી ખડેપગે રહેવાની સૂચના આપી દેવાઈ છે. સ્થાનિક પોલીસ ધોરાજીની ઘટના અંગે તપાસ કરી રહી છે. અમે સ્થાનિક પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવા માટે જણાવ્યું છે. આ માટે વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.”રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, “અમે પોલીસ અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો છે. કોઈ સંસ્થા દ્વારા બંધનું એલાન કરવામાં નથી આવ્યું. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે. અમે જિલ્લા પોલીસને કોઈપણ સમસ્યા ન સર્જાય તે માટે પહેલેથી જ પગલા લેવા જાણ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments