Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂફી સંગીત અને વોટર ફેસ્ટિવલથી સમાજને જોડવાનું અદ્ભૂત કાર્ય, 19 નવેમ્બરથી ભવ્ય રજુઆત

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (10:34 IST)
ક્રાફ્ટ ઓફ આર્ટે માત્ર 7 વર્ષના સમયગાળામાં તમામ અમદાવાદીઓના દીલો દિમાગ પર એક પકડ કાયમ કરી છે. ક્રાફ્ટ ઓફ આર્ટની ખાસ રજુઆત સુફી અને વોટર ફેસ્ટિવલથી થઈ છે. આ સુફી અને વોટર ફેસ્ટિવલની ચર્ચા માત્ર તેમાં પીરસવામાં આવતાં ગુણવત્તાસભર સંગીતને લીધે થાય છે. અમદાવાદીઓના ભવ્ય વારસાને આ વોટરફેસ્ટિવલ અમદાવાદીઓ સાથે જોડે છે. યુવાઓને ફરીવાર જુના વિચારો સાથે જોડે છે. સંગીત પ્રેમીઓને એક જગ્યાએ એકત્રિત કરે છે. તે સ્મારકોમાં છુપાયેલા ભવ્ય વારસાથી સમાજને વાકેફ કરાવે છે. 

વોટર ફેસ્ટીવલ એક એવો ફેસ્ટીવલ છે જે કોઈપણ પૌરાણિક પાણીના સ્ત્રોત હોય તેવા સ્મારક પર કરવામાં આવે છે. આ સ્મારક પર દેશના દિગ્ગજ ક્લાસિકલ સંગીતના કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવે છે અને તે સ્મારકને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે. એક સમયે લોકોને પાણીની જરૂરિયાત પુરી પાડતા આજે લાગણી અને હૈયામાંથી લઈને હંમેશા માટે સુકાઈ ગયેલા આ સ્ત્રોતને લોકો સુધી તેની મહત્તા અને મહાનતાની વાત લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ ફેસ્ટીવલ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી છેલ્લાં પાંચ વર્ષથી માત્ર અમદાવાદમાં ચાલતા આ ફેસ્ટીવલને પાટણની રાણીની વાવ પર આયોજિત કરવામાં આવ્યો. તેનું ભવ્ય આયોજન અમદાવાદની અડાલજની વાવ પર રસીક શાસ્ત્રીય સંગીતના સમારોહ સાથે થયું તો હવે ફરીવાર ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ વોટર ફેસ્ટિવલ અંતર્ગત અડાલજની વાવ ઉપરાંત ધોળકાની ખાન મસ્જિદ પર સંગીતની રજુઆત થશે. તે ઉપરાંત આ વખતે એક ફોટો એક્ઝિબિશન દ્વારા ગત સાત વર્ષની યાદગાર જર્નીને ફોટોના માધ્યમથી જીવંત કરવામાં આવશે. આ પ્રદર્શન ગુમ્બઝ મ્યુસિગ્સ અને મ્યુઝિક એન્ડ મોન્યુમેન્ટ્સ અંતર્ગત અમદાવાદની ગુફા ખાતે 22થી 25 નવેમ્બર દરમિયાન નિહાળી શકાશે. 
આ વખતના આકર્ષણોની વાત કરીએ તો.....
19 નવેમ્બર ખાન મસ્જિદ ધોળકા ખાતે સૂફિ ફેસ્ટિવલ યોજાશે, 25 નવેમ્બરે અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments