Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા

Webdunia
શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:59 IST)
ગુજરાતમાં દિવાળી ટાણે જ ભૂકંપના ખતરાનો અહેસાસ થતાં જ લોકો વલસાડમાં ઘરની બહાર દોડી ગયાં હતાં. શહેરના આસપાસના પાંચ જેટલા ગામોમાં આજે વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયાં હતાં. જેને પગલે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયાં હતાં. આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર કેટલી માત્રાનો હતો એ હજી જાણી શકાયું નથી. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના કપરાડા, નાનાપોઢા, કાજલી, જોગવેલ, ખૂટલી સહિતના ગામડાઓ અને વિસ્તારમાં વહેલી સવારે 4:48 વાગ્યે પહેલો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો કંઈ સમજે વિચારે તે દરમિયાન અડધા કલાકમાં સવારે 5:15 વાગ્યે બીજો આચંકો આવ્યો હતો. ભૂંકપના આંચકાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અને સલામત સ્થળે એકઠા થઈ ગયા હતાં. ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતાના હતા એ હજુ સુધી જાણ શકાયું નથી. પરંતુ નાનાપોંઢાના રહીશોએ જણાવ્યું હતું કે, આ સમયે ઘણીવાર આંચકા આવી ચુક્યા છે અને તેની રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments