Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કાયમી પોલીસ વડા માટે પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ પીઆઈએલ કરી

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (14:19 IST)
ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ઈનચાર્જ પોલીસવડાની નિમણૂકને લઈને ભૂતપૂર્વ IPS રાહુલ શર્માએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ PIL અનુસાર રાજય સરકાર પોલીસને પોતાના હાથની કઠપૂતળી બનાવવા માગે છે તેવો સંદેશો જાહેર જનતાને પહોંચે છે. ગઈકાલે આ PILની સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા આ મામલે સરકારને ખુલાસો કરવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે ૧૫ એપ્રિલ, ૨૦૧૬થી ગુજરાત પોલીસવડાની પોસ્ટ હંગામીપણે જ ભરાઈ રહી છે. આ PILમાં સરકારને કાયમી DGPની નિમણૂક કરવા માટે નિર્દેશ કરાય તેવી માંગણી કરાઈ છે. તેમજ હાલના DGPનો કાર્યકાળ સમાપ્ત થાય તેના મહિના પહેલાથી જ કાયમી DGPની નિમણૂક કરાય તેવી માંગણી કરાઈ છે. શર્મા દ્વારા ફરિયાદ કરાઈ છે કે રાજયમાં ૬ DGP રેન્ક ધરાવતા ઓફિસર્સ હોવા છતા સરકાર કાયમી DGPની નિમણૂંક કરતી નથી. હાલના DGP ગીથા જોહરી પણ ઈનચાર્જ પોસ્ટ પર જ છે. ઈનચાર્જ DGPની નિમણૂંક બોમ્બે પોલીસ એકટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિરુદ્ઘ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments