Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હેલ્મેટ પહેરીને મોદીનો વિરોધ કર્યો

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (15:41 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે અમરેલીની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના કાર્યકરો માથે હેલ્મેટ પહેરીને રેલી સ્વરૂપે રસ્તા પર ઉતરી ગયા હતા. આ કાર્યક્રમ સંદર્ભે એક દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા આજના દિવસે લોકોને હેલ્મેટ પહેરીને બહાર નીકળવાનો આગ્રહ રાખવાની સલાહ આપી હતી અને પોતાના કાર્યક્રમ અંગેની જાણકારી પણ આપી હતી જેથી આજના દિવસે માત્ર કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓ નહીં પરંતુ અન્ય સ્થાનિકો પણ આ હેલ્મેટ રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ વડાપ્રધાનને ગફોળીદાસ કહીને જણાવ્યું હતું કે, અગાઉ પણ આ ગફોળીદાસ અમરેલી આવ્યા હતા અને ખેડૂતોને પાક વીમા માટેના કરોડોના પેકેજ, શિક્ષણ, યુવાનોને રોજગારી, લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની, 500 કરોડ, 1100 કરોડ જેવા જંગી પેકેજોની જાહેરાતો કરી હતી.

આવા ઘણા ઠાલા વચનો નરેન્દ્ર મોદીએ અહીંની પ્રજાને આપ્યા હતા. જોકે બધી જ વાતો માત્ર રાત્રીના સપના જેવી હતી. સવારે ઉઠો એટલે સપનું તૂટી જાય એમ ગફોળીદાસ અહીંથી ગયા પછી કાંઈ થયું નથી. તેમણે કહ્યું કે, વારંવાર ઠાલા વચનોને કારણે જનતાને આ ફેંકંફાકીના ગોળાઓ વાગે નહીં તેથી હેલ્મેટ પહેરવાની સલાહ આપી હતી. અમારી સાથે સ્થાનિકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ અમને પકડી ગઈ છે અને અહીં લાઠી પોલીસ મથકે લાવી છે. મારા સહિત ઘણા છે અને અન્યોને બીજી ગાડીમાં ક્યાં લઈ ગઈ છે તેનો ખ્યાલ નથી.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments