Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ આવે ખર્ચા કરાવે, નર્મદા મહોત્સવના ૧૭મીના કાર્યક્રમ પાછળ ૮૦ લાખનો ધૂમાડો થશે

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (12:35 IST)
વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસ ભરપૂર તૈયારીઓ આદરી દીધી છે. નર્મદા મહોત્સવના નામે ભાજપ પણ ચૂંટણી બ્યૂગલ ફુંકવા જઇ રહી છે જેના ભાગરૃપે ૧૭મીએ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ડભોઇમાં નર્મદા મહોત્સવ પાછળ ભાજપ સરકાર રૃા.૮૦ લાખનો ધુમાડો કરશે. સૂત્રોના મતે, ડભોઇમાં મા નર્મદા મહોત્સવ યોજવા અત્યારથી જોરદાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. સરકારે સરદાર સરોવર નર્મદાના માથે તમામ ખર્ચ કરવાની જવાબદારી નાંખી છે.

ડભોઇમાં મા નર્મદા મહોત્સવમાં અંદાજે દોઢેક લાખ જનમેદની એકત્ર કરવા ભાજપે આયોજન કર્યું છે. ગુજરાતભરમાંથી આ કાર્યક્રમમાં લોકોને લાવવા લઇ જવા માટે ૧૮૦૦ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં એસટી બસો નર્મદા મહોત્સવમાં જોતરાશે તો તે દિવસે ગુજરાતભરમાં એસટી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. આ કાર્યક્રમમાં આવનારાં પ્રત્યેક એક વ્યક્તિ પાછળ અંદાજે રૃા.૫૦નો ખર્ચ કરવા સરકારે તૈયારી રાખી છે. સરકારે આદેશ આપતાં જીલ્લા કલેક્ટરોને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી નર્મદા મહોત્સવ માટે ડભોઇ આવનારાં લોકો માટે ફુડપેકેટ અને પાણીના પાઉચની વ્યવસ્થા કરવામાં આવનાર છે. કુલ મળીને રૃા.૭૫ લાખની ગ્રાન્ટ સરદાર સરોવર નર્મદા નિગમને કલેક્ટરોને ફાળવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતીમાં ડભોઇમાં યોજાનારાં નર્મદા મહોત્સવમાં ઘણાં વીવીઆઇપીને ખાસ આમંત્રિત કરાયાં છે. આ વીવીઆઇપીના ભોજન સમારોહ પાછળ જ રૃા.૫ લાખ ખર્ચ થવાનો અંદાજ છે. આમ, ડભોઇમાં ભારે ઝાકઝમાળ વચ્ચે નર્મદા મહોત્સવની ઉજવણી કરવા સરકારે તૈયારીઓ શરૃ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments