Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 3જા માળેથી પાણીની ટાંકી ધરાશયી થતાં 2ના મોત

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:05 IST)
અમદાવાદમાં આજે વહેલી સવારે પ્રગતિનગર પાસે એકતા એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં તેમાં ત્રણ જણ દટાયા હતાં જેમાંથી બે લોકોના મોત થયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અમદાવાદના પ્રગતિનગર પાસે આવેલા એકતા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રાખેલી પાણીની ટાંકી ધરાશયી થતાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એકનું મોત સારવાર દરમિયાન નીપજ્યું હતું.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રીજા માળેથી પાણીની ટાંકી તુટતાં નીચેના ફ્લેટ પણ તુટી ગયા હતાં. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની બે ટીમો પહોંચી હતી.પાણીની ટાંકી ધડાકાભેર ધરાશયી થતાં જોરદાર મોટો અવાજ આવ્યો હતો જેના કારણે આસપાસના રહિશો પણ ત્યાં આવી ગયા હતાં. આ ટાંકી ઘણાં સમયથી લીકેજ હોવાના કારણે ટપકતાં પાણીના કારણે ટાંકીની નીચેની જમીન પોલી બની જતાં આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

આગળનો લેખ
Show comments