Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (12:27 IST)
વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ખાતામાં જમા કરનારા ખાતેદારોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં  આવી રહી છે. સુરતમાં 7થી 8 હજાર જેટલા ખાતેદારોને નોટિસ મોકલી એક સપ્તાહમાં ઓનલાઈન ખુલાસો કરવાનો આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

રૂપિયા 10 લાખથી વધુની રોકડ જમા કરાવનારા દેશભરના 18 લાખ લોકોને પ્રથમ તબક્કામાં આવકેવરા વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, તે પૈકી માત્ર 30 ટકા લોકોએ જ સંતોષકારક ખુલાસા કર્યા હતા. અન્ય તમામ કેસમાં યોગ્ય જવાબ નહીં મળતા ભવિષ્યમાં સ્ક્રૂટિનીની કેસ ખૂલવાની શક્યતા છે. સરકારે નોટબંધી દરમિયાન અઢી લાખથી વધુ રોકડ જમા કરાવનારા સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી તે મુજબ હવે બીજા તબક્કામાં દેશભરના 5.50 લાખ ખાતેદારોને નોટિસ ઈશ્યૂ કરવાનું શરૂ કરાયું છે. સુરતમાં આવા 7થી 8 હજાર ખાતેદારોને નોટિસ મોકલવામાં આવી છે. ઓનલાઈન મોકલાયેલી નોટિસનો ખુલાસો સાત દિવસમાં ઓનલાઈન જ કરવાના આદેશ કરાયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments