Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મુખ્યપ્રધાન અને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (12:53 IST)
આજે દેશમાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મતદાન મથક બનાવાયું છે.ગુજરાતના તમામ 26 સાંસદો સહિત રાજ્યસભાના 11 સભ્યોએ દિલ્હીમાં જઈને મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાતમાં વિધાનસભાના સ્વર્ણિંમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન તથા ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે, જ્યારે ગુજરાતના એક ધારાસભ્યનું મૂલ્ય 147 છે. જે 1971ની વસ્તી ગણતરી એટલે કે 46 વર્ષ પહેલાંથી ચાલી આવતું આ મૂલ્ય છે. ખાસ કરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન માટે એક ખાસ માર્કર પેનનો ઉપયોગ કરાશે. આ પેનથી જ મતદાન કરવાનું રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત વિધાનસભાને બદલે સ્વર્ણિમ સંકુલ 2માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, કેમ કે, વિધાનસભાનું રિનોવેશન ચાલતું હોવાથી મતદાન મથક ત્યાં બની શકે તેમ નથી. આ ચૂંટણીમાં ધારાસભ્યો માટે ગુલાબી રંગનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે સાંસદો અને રાજ્યસભાના સભ્યો માટે ગ્રે કલરનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી મતદાન થયા બાદ મતપેટીઓ દિલ્હી મોકલવામાં આવશે. જ્યાં મતગણતરી થયા બાદ પરિણામ જાહેર કરાશે. 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments