Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2017 (15:19 IST)
છેલ્લા વીસેક દિવસથી સુરતમાં કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેના આગેવાનોમાં બે ભાગ પડી ગયા છે. આ સમયે આંદોલનમાં કોઈ તોફાની તત્વો કાયદો હાથમાં લઈ સ્થિતિ ડહોળી નાખે એ વાતને ધ્યાને લઈ પોલીસ કમિશનરે કલમ 144 મુજબ જાહેરનામુ પ્રગટ કરી ચાર કે ચારથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના કારણે જે વેપારી ખરેખર દુકાન ખોલવા ઇચ્છતા હશે

તે વેપાર કરી શકશે. આ આંદોલનના કારણે સુરતના કાપડ માર્કેટને અંદાજે રૂ. 5 હજાર કરોડનું નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો. છેલ્લે જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જાળવવા માટે સુરતમાં 144મી કલમ લાગુ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મોટી ઘટના બનતા બીજી વખત 144મી કલમ લાગુ કરાઈ છે. તો બીજી બાજુ સંઘર્ષ સિમિતના આગેવાનોનું કહેવું એવું છે કે કેટલાક તોફાની તત્વો આંદોલનની આડમાં તોફાનો કરાવી રહ્યા છે. તેને ઓળખી લેવાની જરૂર છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments