Webdunia - Bharat's app for daily news and videos

Install App

કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:26 IST)
ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી યાત્રાનું આયોજન કરનારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જિજ્ઞેશ મેવાણીની કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાની ત્રાસવાદીઓની તરફદારી કરનારા કનૈયાકુમારને ગુજરાતમાં લઈને ફરતા જિજ્ઞેશ મેવાણીને ગુજરાતની પ્રજા તેમજ દલિતોએ ઓળખી લેવાની જરૂર છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે, મેવાણીએ અમરનાથ યાત્રાના શહીદોનું-રાષ્ટ્રનું તેમજ ગુજરાતનું અપમાન કર્યું છે. તે બદલ મેવાણીએ માફી માંગવી જોઈએ. કારણકે જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે ત્રાસવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોની તરફદારી કરી છે. તેણે અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપતા નારાઓ લગાવ્યા હતા. આવા વ્યક્તિને દલિત સંમેલનના નામે ગુજરાતમાં બોલાવીને મેવાણીએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરવાની વરવી રાજનીતિ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસના હાથા બનીને, દલિતોના ખભે બંદૂક મૂકીને ફોડવાની ગંદી રાજનીતિ કરનારા કનૈયાકુમાર અને મેવાણીને દલિતો જાકારો આપશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments